Proverbs 28:5
દુષ્ટ માણસો ન્યાય સમજતા નથી; પણ જેઓ યહોવાને શોધે છે તેઓ આ સઘળી બાબતો સમજે છે.
Proverbs 28:5 in Other Translations
King James Version (KJV)
Evil men understand not judgment: but they that seek the LORD understand all things.
American Standard Version (ASV)
Evil men understand not justice; But they that seek Jehovah understand all things.
Bible in Basic English (BBE)
Evil men have no knowledge of what is right; but those who go after the Lord have knowledge of all things.
Darby English Bible (DBY)
Evil men understand not judgment; but they that seek Jehovah understand everything.
World English Bible (WEB)
Evil men don't understand justice; But those who seek Yahweh understand it fully.
Young's Literal Translation (YLT)
Evil men understand not judgment, And those seeking Jehovah understand all.
| Evil | אַנְשֵׁי | ʾanšê | an-SHAY |
| men | רָ֭ע | rāʿ | ra |
| understand | לֹא | lōʾ | loh |
| not | יָבִ֣ינוּ | yābînû | ya-VEE-noo |
| judgment: | מִשְׁפָּ֑ט | mišpāṭ | meesh-PAHT |
| seek that they but | וּמְבַקְשֵׁ֥י | ûmĕbaqšê | oo-meh-vahk-SHAY |
| the Lord | יְ֝הוָ֗ה | yĕhwâ | YEH-VA |
| understand | יָבִ֥ינוּ | yābînû | ya-VEE-noo |
| all | כֹֽל׃ | kōl | hole |
Cross Reference
1 John 2:27
ખ્રિસ્તે તમારો અભિષેક કયો છે તે હજુ તમારી સાથે રહે છે. તેથી તમને ઉપદેશક આપવા માટે કોઈ વ્યક્તિની તમને જરુંર નથી. તમને ખ્રિસ્તે આપેલ ભેટ બધી બાબતો વિષે શીખવે છે. આ અભિષેક ખરો છે. તે ખોટો નથી. તેથી તેના અભિષેકે જે શીખવ્યું છે તે પ્રમાણે ખ્રિસ્તમાં જીવવાનું ચાલુ રાખો.
1 John 2:20
તમે જે પવિત્ર છે (દેવ કે ખ્રિસ્ત) તેના દ્વારા અભિષિક્ત થયા છો. તેથી તમે બધા સત્યને જાણો છો.
John 7:17
જો કોઈ માણસ દેવ જે ઈચ્છે છે તે કરવા ઈચ્છે તો પછી તે વ્યક્તિ જાણશે કે મારો બોધ દેવ પાસેથી આવે છે. અથવા
Psalm 92:6
ઊંડો વિચાર ન કરી શકે તેવા લોકો તે સમજી શકતાં નથી, અને મૂર્ખ માણસ કદાપિ તેનો અર્થ પામી શકતો નથી.
James 1:5
પણ જો તમારામાથી કોઈને પણ ડાહપણની જરુંર હશે, અને તમે દેવ પાસે તે માટે માગણી કરશો, તો તે તમને આપશે. દેવ સર્વને ઉદારતાથી ઠપકો આપ્યા વિના ડાહપણ આપે છે.
1 Corinthians 2:14
જે વ્યક્તિ આત્મિક નથી તે દેવના આત્મા તરફથી આવતી બાબતોનો સ્વીકાર કરતી નથી. તે વ્યક્તિ તે બધી બાબતો મૂર્ખામી ભરેલી ગણે છે. તે વ્યક્તિ આત્માની બાબતો સમજી શકતી નથી, કારણ કે તે બાબતો આધ્યાત્મિક રીતે જ મૂલવી શકાતી હોય છે.
Mark 4:10
જ્યારે ઈસુ એકાંતમાં હતો ત્યારે બાર પ્રેરિતો અને ઈસુના બીજા શિષ્યોએ તેને વાર્તાઓ વિષે પૂછયું.
Jeremiah 4:22
દેવ કહે છે, “જ્યાં સુધી મારા લોકો મૂર્ખતા ન છોડે ત્યાં સુધી, કારણ, મારા લોકો મૂરખ છે, તેઓ મને ઓળખતા નથી; એ લોકો નાદાન બાળકો છે. એમને કશી સમજ નથી. એ લોકો ભૂંડુ કરવામાં ઘણાં ચાલાક છે, પરંતુ સાચું આચરણ કરતાં એમને આવડતું નથી.”
Proverbs 24:7
ડહાપણ મૂરખના ગજા બહારની વસ્તુ છે, તેથી તે જાહેર સભામાં પોતાનું મોં ખોલી શકતો નથી.
Proverbs 15:24
જ્ઞાની માણસ માટે એક જીવન તરફ જતો રસ્તો છે જે તેને શેઓલતરફ જતા રસ્તેથી પાછો વાળે છે.
Psalm 119:100
વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું ; કારણકે મેં તમારા નિયમો પાળ્યાં છે.
Psalm 25:14
જેઓ યહોવાનો ભય અને તેમના માટે માન રાખે તેઓની સાથે તેઓ પોતાના રહસ્યો વહેંચે છે. તેઓ તેઓને તેમનો કરાર શીખવે છે.