Isaiah 21:5 in Gujarati

Gujarati Gujarati Bible Isaiah Isaiah 21 Isaiah 21:5

Isaiah 21:5
ત્યાં જોઉં છું તો ભાણાં પીરસાઇ ગયાં છે, જાજમ પથરાઇ ગઇ છે, “લોકો ખાય છે, પીએ છે,” ત્યાં હુકમ છૂટે છે. “સરદારો ઊઠો, યુદ્ધ માટે ઢાલોને તૈયાર કરો.”

Isaiah 21:4Isaiah 21Isaiah 21:6

Isaiah 21:5 in Other Translations

King James Version (KJV)
Prepare the table, watch in the watchtower, eat, drink: arise, ye princes, and anoint the shield.

American Standard Version (ASV)
They prepare the table, they set the watch, they eat, they drink: rise up, ye princes, anoint the shield.

Bible in Basic English (BBE)
They make ready the table, they put down the covers, they take food and drink. Up! you captains; put oil on your breastplates.

Darby English Bible (DBY)
Prepare the table, appoint the watch; eat, drink: arise, ye princes, anoint the shield.

World English Bible (WEB)
They prepare the table, they set the watch, they eat, they drink: rise up, you princes, anoint the shield.

Young's Literal Translation (YLT)
Arrange the table, watch in the watch-tower, Eat, drink, rise, ye heads, anoint the shield,

Prepare
עָרֹ֧ךְʿārōkah-ROKE
the
table,
הַשֻּׁלְחָ֛ןhaššulḥānha-shool-HAHN
watch
צָפֹ֥הṣāpōtsa-FOH
in
the
watchtower,
הַצָּפִ֖יתhaṣṣāpîtha-tsa-FEET
eat,
אָכ֣וֹלʾākôlah-HOLE
drink:
שָׁתֹ֑הšātōsha-TOH
arise,
ק֥וּמוּqûmûKOO-moo
ye
princes,
הַשָּׂרִ֖יםhaśśārîmha-sa-REEM
and
anoint
מִשְׁח֥וּmišḥûmeesh-HOO
the
shield.
מָגֵֽן׃māgēnma-ɡANE

Cross Reference

ચર્મિયા 51:57
સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હું તેના સરદારોને, જ્ઞાની માણસોને, રાજકર્તાઓને, કપ્તાનીઓને, તથા શૂરવીર યોદ્ધાઓને ચકચૂર કરીશ, તેઓ અનંત નિંદ્રામાં પોઢી જશે, ફરી કદી જાગશે જ નહિ.

ચર્મિયા 51:39
જ્યારે તેઓ પોતાના દ્રાક્ષારસથી મસ્ત બનશે ત્યારે હું તેઓને માટે અલગ પ્રકારની ઉજાણી તૈયાર કરીશ, તેઓ બેભાન થઇને ભોંય પર પછડાય ત્યાં સુધી તેઓ પીયા જ કરે, એવું હું કરીશ. તેઓ સદાને માટે ઊંઘી જશે અને ફરીથી કદી જાગશે નહિ,” એમ યહોવા કહે છે.

1 કરિંથીઓને 15:32
જો હું એફેસસમાં માત્ર માનવીય કારણોને લઈને જંગલી પશુઓ સાથે લડયો હોઉં, માત્ર મારા અહંકારને પોષવા માટે લડ્યો હોઉં, તો મેં કશું જ પ્રાપ્ત કર્યુ નથી. જો લોકો મૃત્યુમાંથી ઊઠતા ન હોય તો, “ચાલો આપણે ખાઈએ, પીએ અને મજા કરીએ કારણ કે કાલે તો આપણે મરવાના છીએ.”

દારિયેલ 5:1
રાજા બેલ્શાસ્સારે પોતાના એક હજાર ઉમરાવોને મોટી ઉજાણી આપી અને એ હજાર ઉમરાવોની સમક્ષ તે છૂટથી દ્રાક્ષારસ પીવા લાગ્યો.

ચર્મિયા 51:27
“પૃથ્વી પર ઝંડો ફરકાવો, બધી પ્રજાઓમાં રણશિંગડા ફૂંકાવો, બાબિલ સામે જેહાદ જગાવવાને પ્રજાને આહવાન આપો, અરારાટ, મિન્ની અને આશ્કેનાઝના રાજ્યોને તેની સામે લડવા બોલાવો, તેની સામે હુમલો લઇ જવાને સેનાપતિ નીમો. તીડોના ટોળાંની જેમ ઘોડેસવારોને ભેગા કરો.

ચર્મિયા 51:11
તમારાં બાણને ધારદાર બનાવો! તમારા ભાથાં ભરી લો! ઢાલ ઊંચી કરો! કારણ કે બાબિલ પર ચઢાઇ કરી તેનો વિનાશ કરવા યહોવાએ માદીઓના રાજાઓને કહ્યું છે. અનિષ્ટ આચરણ કરનાર મંદિરને અપવિત્ર કરનાર લોકો પર આ રીતે યહોવા વૈર વાળી રહ્યાં છે.

યશાયા 45:1
પોતાના અભિષિકત કોરેશને યહોવા આ મુજબ કહે છે: “મેં તારો જમણો હાથ પકડ્યો છે; દેશદેશના લોકોને હું તારી આગળ નમાવીશ. રાજાઓને તેમનો રાજવી ઝભ્ભો ઉતરાવી દઇશ; તારી આગળ બધાં નગરોના દરવાજા ખૂલી જશે, કોઇ દરવાજો બંધ નહિ રહે.”

યશાયા 22:13
પરંતુ તેને બદલે તમે તો આનંદોત્સવ કર્યો,“ઢોર વધેર્યા, ઘેટાં માર્યા, માંસ ખાધું અને દ્રાક્ષારસ પીધો અને વિચાર્યુ કે, આજે ખાઇ પી લઇએ, કારણ, કાલે તો આપણે મરી જવાનું છે.”

યશાયા 13:17
“કારણ કે હું માદીઓને બાબિલની વિરુદ્ધ ઉશ્કેરીશ અને ચાંદીના કે સોનાના મોટા જથ્થા વડે તેઓ રીઝશે નહિ,

યશાયા 13:2
“ઉજ્જડ પર્વત પર ધ્વજા ઊંચે ફરકાવો. તેઓને ઊંચે સાદે હાંક મારો, હાથના ઇશારા કરો કે તેઓ ઉમરાવોના દરવાજા પર ત્રાટકે.”