John 16:8
“જ્યારે સંબોધક આવશે ત્યારે લોકોને આ બાબતો જેવી કે પાપ વિષે, ન્યાયીપણા વિષે અને ન્યાય ચુકવવા વિષે જગતને ખાતરી કરાવશે.
John 16:8 in Other Translations
King James Version (KJV)
And when he is come, he will reprove the world of sin, and of righteousness, and of judgment:
American Standard Version (ASV)
And he, when he is come, will convict the world in respect of sin, and of righteousness, and of judgment:
Bible in Basic English (BBE)
And he, when he comes, will make the world conscious of sin, and of righteousness, and of being judged:
Darby English Bible (DBY)
And having come, he will bring demonstration to the world, of sin, and of righteousness, and of judgment:
World English Bible (WEB)
When he has come, he will convict the world about sin, about righteousness, and about judgment;
Young's Literal Translation (YLT)
and having come, He will convict the world concerning sin, and concerning righteousness, and concerning judgment;
| And | καὶ | kai | kay |
| when he is | ἐλθὼν | elthōn | ale-THONE |
| come, | ἐκεῖνος | ekeinos | ake-EE-nose |
| he will reprove | ἐλέγξει | elenxei | ay-LAYNG-ksee |
| the | τὸν | ton | tone |
| world | κόσμον | kosmon | KOH-smone |
| of | περὶ | peri | pay-REE |
| sin, | ἁμαρτίας | hamartias | a-mahr-TEE-as |
| and | καὶ | kai | kay |
| of | περὶ | peri | pay-REE |
| righteousness, | δικαιοσύνης | dikaiosynēs | thee-kay-oh-SYOO-nase |
| and | καὶ | kai | kay |
| of | περὶ | peri | pay-REE |
| judgment: | κρίσεως· | kriseōs | KREE-say-ose |
Cross Reference
યોહાન 8:46
તમારામાંથી કોણ સાબિત કરી શકે છે કે હું પાપનો ગુનેગાર છું. જો હું સત્ય કહું છું, તો પછી તમે શા માટે મારું માનતા નથી?
યહૂદાનો પત્ર 1:15
પ્રભુ પ્રત્યેક વ્યક્તિનો ન્યાય કરશે. પ્રભુ બધા લોકોનો ન્યાય કરવા અને જે લોકો દેવની વિરૂદ્ધ છે તેઓને શિક્ષા કરવા આવે છે. તે આ લોકોને દેવની વિરુંદ્ધ તેઓએ કરેલાં દુષ્ટ કાર્યો માટે શિક્ષા કરશે. અને દેવ આ પાપીઓ જે દેવની વિરુંદ્ધ છે તેઓને શિક્ષા કરશે. તે તેઓને તેમણે દેવની વિરૂદ્ધ કહેલાં બધાં સખત ટીકાત્મક વચનો માટે શિક્ષા કરશે.”
ઝખાર્યા 12:10
પછી હું દાઉદના અને યરૂશાલેમના વતનીઓમાં તે દિવસે કરૂણા અને પ્રાર્થનાની ભાવના જગાડીશ, અને તેઓએ જેમને રહેંસી નાખ્યા છે તેના માટે શોક કરશે જેવી રીતે જેઓ પોતાના એક જ સંતાન માટે શોક કરે છે, જેવી રીતે જેઓ પોતાના પહેલા બાળક માટે રડે છે.
પ્રેરિતોનાં ક્રત્યો 2:37
જ્યારે લોકોએ આ સાંભળ્યું ત્યારે, તેઓ ઘણા દુ:ખી થયા. તેઓએ પિતર અને બીજા શિષ્યોને પૂછયું, ‘ભાઈઓ, અમારે શું કરવું જોઈએ?”
પ્રેરિતોનાં ક્રત્યો 16:29
સંત્રીએ કોઇકને દીવો લાવવા મારે કહ્યું, પછી તે અંદર દોડ્યો. તે ધ્રુંજતો હતો. તે પાઉલ અને સિલાસની સમક્ષ પગે પડ્યો.
1 કરિંથીઓને 14:24
પરંતુ ધારો કે તમે બધા પ્રબોધ કરી રહ્યા છો ત્યારે વિશ્વાસ વગરની બહારની કોઈ વ્યક્તિ ત્યાં આવે તો જ્યારે તમે પ્રબોધ કરી રહ્યા છો ત્યારે તે વ્યક્તિના પાપ તમે દર્શાવશો અને તમે બધા જે કહો છો તેનાથી તે વ્યક્તિનો ન્યાય થશે.
યોહાન 8:9
જે લોકોએ ઈસુને સાંભળ્યો તેઓ એક પછી એક વિદાય થયા. વૃદ્ધ માણસો પ્રથમ છોડી ગયા, અને પછી બીજા ગયા. ઈસુને ત્યાં તે સ્ત્રી સાથે એકલા છોડી ગયા. હજુ તે ત્યાં ઊભી રહી છે.