અયૂબ 34:20 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ અયૂબ અયૂબ 34 અયૂબ 34:20

Job 34:20
એક ક્ષણમાં, મધરાતે પણ, તેઓ મૃત્યુ પામે છે. જ્યારે દેવ પ્રહાર કરે છે, બળવાન પણ મરી જાય છે. મહાન લોકો અદ્રશ્ય થઇ જાય છે અને તેમાં માણસનો હાથ સંડોવાયેલો નથી.

Job 34:19Job 34Job 34:21

Job 34:20 in Other Translations

King James Version (KJV)
In a moment shall they die, and the people shall be troubled at midnight, and pass away: and the mighty shall be taken away without hand.

American Standard Version (ASV)
In a moment they die, even at midnight; The people are shaken and pass away, And the mighty are taken away without hand.

Bible in Basic English (BBE)
Suddenly they come to an end, even in the middle of the night: the blow comes on the men of wealth, and they are gone, and the strong are taken away without the hand of man.

Darby English Bible (DBY)
In a moment they die, even at midnight the people are convulsed and pass away; and the strong are taken away without hand.

Webster's Bible (WBT)
In a moment they shall die, and the people shall be troubled at midnight, and pass away: and the mighty shall be taken away without hand.

World English Bible (WEB)
In a moment they die, even at midnight; The people are shaken and pass away, The mighty are taken away without hand.

Young's Literal Translation (YLT)
`In' a moment they die, and at midnight Shake do people, and they pass away, And they remove the mighty without hand.

In
a
moment
רֶ֤גַע׀regaʿREH-ɡa
shall
they
die,
יָמֻתוּ֮yāmutûya-moo-TOO
people
the
and
וַחֲצ֪וֹתwaḥăṣôtva-huh-TSOTE
shall
be
troubled
לָ֥יְלָהlāyĕlâLA-yeh-la
midnight,
at
יְגֹעֲשׁ֣וּyĕgōʿăšûyeh-ɡoh-uh-SHOO

עָ֣םʿāmam
and
pass
away:
וְיַעֲבֹ֑רוּwĕyaʿăbōrûveh-ya-uh-VOH-roo
mighty
the
and
וְיָסִ֥ירוּwĕyāsîrûveh-ya-SEE-roo
shall
be
taken
away
אַ֝בִּ֗ירʾabbîrAH-BEER
without
לֹ֣אlōʾloh
hand.
בְיָֽד׃bĕyādveh-YAHD

Cross Reference

નિર્ગમન 12:29
અને મધરાતે યહોવાએ મિસર દેશના બધાં જ પ્રથમજનિત બાળકોનો-ગાદી ઉપર બેસનારા ફારુનના પાટવીકુંવરથી માંડીને જેલમાં કેદ કરાયેલા કેદીઓના પ્રથમજનિત સુધીના તમાંમ ઉપરાંત ઢોરોનો પણ બધાં જ પ્રથમજનિત બચ્ચાંઓનો સંહાર કર્યો.

દારિયેલ 2:44
“એ રાજાઓના શાસન દરમ્યાન સ્વર્ગના રાજા દેવ કદી નાશ ન પામે તેવું રાજ્ય સ્થાપશે. જે રાજ્ય બીજી કોઇ પ્રજાના હાથમાં કદી જશે નહિ; તે બધા રાજ્યોનો ભાંગીને ભૂકો કરી નાખશે, પણ પોતે હંમેશને માટે અવિનાશી રહેશે.

દારિયેલ 5:30
તે જ રાત્રે બાબિલના રાજા બેલ્શાસ્સારનો વધ થયો.

ઝખાર્યા 4:6
પછી તેણે મને કહ્યું, “યહોવાનો આ સંદેશ ઝરુબ્બાબેલ માટે છે, ‘બળથી કે શકિતથી નહિ પણ મારા તરફથી મળતા આત્માને કારણે તું વિજયવંત થશે.”

માથ્થી 25:6
“મધ્યરાત્રીએ કોઈકે જાહેરાત કરી કે, ‘વરરાજા આવી રહ્યો છે! તો ચાલો આપણે તેને મળવા જઈએ!”

લૂક 12:20
“પરંતુ દેવે તે માણસને કહ્યું, “અરે! મૂર્ખ માણસ આજે રાત્રે તારું મૃત્યુ થશે. તેથી તેં તારી જાત માટે તૈયાર કરેલી વસ્તુઓનું શું? હવે તે વસ્તુઓ કોની થશે?”

લૂક 17:26
“જેમ નૂહના દિવસોમાં થયું તેમ માણસના દીકરાના દિવસોમાં પણ થશે.

પ્રેરિતોનાં ક્રત્યો 12:23
હેરોદે આ મહિમા સ્વીકાર્યો અને દેવને મહિમા આપ્યો નહિ. તેથી અચાનક પ્રભુના દૂતે તેને માંદો પાડ્યો. તેને અંદરથી કીડાઓ ખાઈ ગયા અને તે મૃત્યુ પામ્યો.

1 થેસ્સલોનિકીઓને 5:2
તમે સારી રીતે જાણો છે કે એ દિવસ કે જ્યારે પ્રભુ આવશે ત્યારે એક ચોર રાતે આવે છે તે રીતે તે આવશે.

દારિયેલ 2:34
આપ એ મૂર્તિ ઉપર મીટ માંડી રહ્યાં હતાં ત્યાં કોઇના અડ્યા વગર જ પર્વતમાંથી એક પથ્થર છૂટો પડ્યો અને મૂર્તિની લોખંડ અને માટીની બનેલી પાનીઓ ઉપર પછડાયો અને પાનીઓનાં તેણે ચૂરેચૂરો કરી નાખ્યા,

યશાયા 37:38
એક દિવસ તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો, એવામાં તેના પુત્રો આદ્રામ્મેલેખે અને શારએસેરે તેને તરવારથી મારી નાખી અરારાટ ભાગી ગયા. તેનો પુત્ર એસાર-હાદ્દોન તેના પછી ગાદીએ આવ્યો.

યશાયા 37:36
તે જ રાત્રે યહોવાના દૂતે આશ્શૂરીઓની છાવણીમાં જઇને 1ણ 85 ણ000 યોદ્ધાઓને મોતને ઘાટ ઉતાર્યા; લોકોએ સવારે ઊઠીને જોયું તો, તેઓની આગળ એ બધા મરેલા પડ્યા હતા.

1 શમુએલ 25:37
સવારે તેનો દ્રાક્ષારસનો નશો ઊતરી ગયો, ત્યારે અબીગાઈલે તેને બધું કહી સંભળાવ્યું. જ્યારે તેણે બધું સાંભળીલીધુ ત્યારે તેને હૃદય પર હુમલો થયો અને તે પથ્થર જેવો કઠણ થઈ ગયો.

1 શમુએલ 26:10
દાઉદે વધુમાં કહ્યું, “યહોવાના સમ, યહોવા જ એને પૂરો કરશે; અથવા તો એનો સમય ભરાશે ને તે મરી જશે, અથવા તેે યુદ્ધે ચઢશે અને તેમાં તેનો નાશ થશે.

અયૂબ 12:19
તે દેવ યાજકો પાસેથી તેમની સત્તા આંચકી લે છે સરકારી અધિકારીઓને તેમની નોકરીમાંથી કાઢી મુકે છે.

અયૂબ 36:20
રાતે આવવાની ઇચ્છા કરતો નહિ. લોકો રાત્રિમા અલોપ થઇ જવાનો પ્રયત્ન કરે છે. તેઓ વિચારે છે કે તેઓ પોતાને દેવથી સંતાડી શકશે.

ગીતશાસ્ત્ર 73:19
તેમની સુખસમૃદ્ધિનો તત્કાળ અંત આવશે, અને તેઓ અનંતકાળપર્યંત ત્રાસ પામશે.

યશાયા 10:16
તે માટે સૈન્યોના દેવ યહોવા તેના બળવાન યોદ્ધાઓમાં ભયંકર બિમારીઓ મોકલશે; તેમનાં દેહમાં અગ્નિ જેવી જવાળા ભડભડતી રહેશે.

યશાયા 30:13
એટલે જેમ ભીંતમાં પહોળી ફાટ પડે છે અને તે તૂટી પડે છે અને થોડી ક્ષણોમાં જ કકડભૂસ નીચે પડે છે, તેમ તમારા પર અચાનક વિનાશ આવી પડશે.

યશાયા 30:30
યહોવા પોતાનો પ્રતાપી અવાજ સૌને સંભળાવશે અને પોતાનો પ્રચંડ કોપ સર્વભક્ષી અગ્નિની જવાળારૂપે, મૂશળધાર વરસાદરૂપે, વાવાઝોડારૂપે અને કરારૂપે ઉતારશે.

2 પિતરનો પત્ર 2:3
આ ખોટા ઉપદેશકો માત્ર નાણાની ઈચ્છા રાખે છે. તેથી તેઓ જે વસ્તુ સાચી નથી તે તમને કહીને તેનો દુરુંપયોગ કરશે. પરંતુ ઘણા સમયથી આ ખોટા ઉપદેશકોનો ન્યાય તોળાઇ ચૂક્યો છે. અને તેઓ તે જે એકથી છટકી શકશે નહિ અને તે તેઓનો નાશ કરશે.