Isaiah 27:4
હું હવે દ્રાક્ષાવાડી પ્રત્યે ક્રોધિત નથી, પણ હવે અહીં જો કાંટા અને ઝાંખરા ઊગે તો હું તેનો સામનો કરી તેને બાળીને ભસ્મ કરી નાખીશ.
Isaiah 27:4 in Other Translations
King James Version (KJV)
Fury is not in me: who would set the briers and thorns against me in battle? I would go through them, I would burn them together.
American Standard Version (ASV)
Wrath is not in me: would that the briers and thorns were against me in battle! I would march upon them, I would burn them together.
Bible in Basic English (BBE)
My passion is over: if the thorns were fighting against me, I would make an attack on them, and they would be burned up together.
Darby English Bible (DBY)
Fury is not in me. Oh that I had briars [and] thorns in battle against me! I would march against them, I would burn them together.
World English Bible (WEB)
Wrath is not in me: would that the briers and thorns were against me in battle! I would march on them, I would burn them together.
Young's Literal Translation (YLT)
Fury is not in Me; Who giveth Me a brier -- a thorn in battle? I step into it, I burn it at once.
| Fury | חֵמָ֖ה | ḥēmâ | hay-MA |
| is not | אֵ֣ין | ʾên | ane |
| in me: who | לִ֑י | lî | lee |
| set would | מִֽי | mî | mee |
| the briers | יִתְּנֵ֜נִי | yittĕnēnî | yee-teh-NAY-nee |
| and thorns | שָׁמִ֥יר | šāmîr | sha-MEER |
| battle? in me against | שַׁ֙יִת֙ | šayit | SHA-YEET |
| I would go | בַּמִּלְחָמָ֔ה | bammilḥāmâ | ba-meel-ha-MA |
| burn would I them, through | אֶפְשְׂעָ֥ה | ʾepśĕʿâ | ef-seh-AH |
| them together. | בָ֖הּ | bāh | va |
| אֲצִיתֶ֥נָּה | ʾăṣîtennâ | uh-tsee-TEH-na | |
| יָּֽחַד׃ | yāḥad | YA-hahd |
Cross Reference
યશાયા 10:17
ઇસ્રાએલના દીવારૂપ પવિત્ર દેવ જ અગ્નિની પ્રચંડ જવાળા બની જશે. અને તે એક દિવસમાં પેલા કાંટાઝાંખરાને બાળીને ભસ્મીભૂત કરી નાખશે.
હિબ્રૂઓને પત્ર 6:8
પણ જો એ જમીન કાંટા અને ઝાંખરા ઉગાડ્યા કરે તો છેવટે બિનઉપયોગી અને શ્રાપિત થઈ બળી જશે.
માથ્થી 3:12
તેના હાથમાં સૂપડું છે જેના વડે અનાજને છોતરામાંથી જુદૂં પાડશેઅને સાફ કરેલ સારા અનાજના દાણાને પોતાના કોઠારમાં ભરશે અને છોતરાંને એવા અગ્નિમાં બાળી નાખશે જે કદીયે હોલવાશે નહિ.”
2 શમએલ 23:6
પરંતુ દુષ્ટ લોકો કાંટા જેવા છે; કે જે કોઇને પણ તેઓના હાથમાં રાખવા ગમતાં નથી. તેઓ તેમને ફેંકી દે છે.
2 પિતરનો પત્ર 2:9
હા, દેવે આ બધુંજ કર્યુ. અને પ્રભુ દેવની સેવા કરનાર બધા જ લોકોને જ્યારે પરીક્ષણ આવશે ત્યારે પ્રભુ દેવ દ્ધારા તેઓને હંમેશા બચાવશે. જ્યારે પ્રભુ અનિષ્ટ કાર્યો કરનારાં લોકોને ધ્યાનમા રાખશે અને ન્યાયના દિવસે તેઓને શિક્ષા કરશે.
માલાખી 4:3
સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તમે તે દિવસે અધમ લોકોને તમારા પગ તળે છૂંદશો. હું આ પ્રમાણે કરીશ. તે દિવસે તેઓ તમારાં પગનાં તળિયાં નીચે રાખની જેમ રગદોળાશે.”
નાહૂમ 1:3
યહોવા ગુસ્સે થવામાં ધીમા છે. તેમની પાસે મહાન શકિત છે. અને તે ચોક્કસપણે ગુનેગારોને દંડ્યા વગર જવા દેતા નથી. પ્રચંડ ઝંજાવાત અને વાવાઝોડામાં થઇને યહોવાનો માર્ગ જાય છે. વાદળો તેના પગની રજ છે.
હઝકિયેલ 16:63
જ્યારે હું તને તારાં બધાં કૃત્યોની માફી આપીશ ત્યારે તને તે બધાં યાદ આવશે અને તું શરમની મારી બોલી પણ નહિ શકે.” આ યહોવા મારા માલિકના વચન છે.
યશાયા 54:6
તું દુ:ખમાં ડૂબેલી ત્યકતા જેવી છે. તારા દેવ, યહોવા, તને પાછી બોલાવીને કહે છે કે, “જુવાનીમાં જેનો હાથ પકડ્યો હતો તેને શી રીતે તજી શકાય?”
યશાયા 26:20
આવો, મારા લોકો, તમારા ઘરમાં પ્રવેશ કરો અને બારણાં વાસી દો. તમારા શત્રુઓ વિરુદ્ધ યહોવાનો રોષ ઉતરે ત્યાં સુધી થોડો સમય સંતાઇ રહો.
યશાયા 12:1
તમે તે દિવસે ગાશો: “હે યહોવા હું તમારો આભાર માનું છું! તમે મારા પર રોષે ભરાયા હતા, હવે તમારો રોષ સમી ગયો છે અને તમે મને પ્રેમ આપ્યો છે.
યશાયા 9:18
માણસોની દુષ્ટતા આગની જેમ ભભૂકી ઊઠી છે. અને એ કાંટાઝાંખરાને ભરખી જાય છે. જંગલની ઝાડીને પણ એ બાળી મૂકે છે. અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચઢે છે.
ગીતશાસ્ત્ર 103:9
યહોવા હંમેશા ટીકા કરતાં નથી, અને તે કદીય સદાને માટે ગુસ્સામાં રહેતા નથી.
ગીતશાસ્ત્ર 85:3
તેથી હવે તમારા કોપનો ભસ્મ કરનારા ક્રોધનો અંત આવ્યો છે.