Genesis 46:2
રાત્રે દેવે ઇસ્રાએલને સ્વપ્નમાં કહ્યું, “યાકૂબ, યાકૂબ.”અને ઇસ્રાએલે જવાબ આપ્યો, “હું અહીં છું.”
Genesis 46:2 in Other Translations
King James Version (KJV)
And God spake unto Israel in the visions of the night, and said, Jacob, Jacob. And he said, Here am I.
American Standard Version (ASV)
And God spake unto Israel in the visions of the night, and said, Jacob, Jacob. And he said, Here am I.
Bible in Basic English (BBE)
And God said to Israel in a night-vision, Jacob, Jacob. And he said, Here am I.
Darby English Bible (DBY)
And God spoke to Israel in the visions of the night and said, Jacob, Jacob! And he said, Here am I.
Webster's Bible (WBT)
And God spoke to Israel in the visions of the night, and said, Jacob, Jacob: and he said, Here am I.
World English Bible (WEB)
God spoke to Israel in the visions of the night, and said, "Jacob, Jacob!" He said, "Here I am."
Young's Literal Translation (YLT)
and God speaketh to Israel in visions of the night, and saith, `Jacob, Jacob;' and he saith, `Here `am' I.'
| And God | וַיֹּ֨אמֶר | wayyōʾmer | va-YOH-mer |
| spake | אֱלֹהִ֤ים׀ | ʾĕlōhîm | ay-loh-HEEM |
| unto Israel | לְיִשְׂרָאֵל֙ | lĕyiśrāʾēl | leh-yees-ra-ALE |
| in the visions | בְּמַרְאֹ֣ת | bĕmarʾōt | beh-mahr-OTE |
| night, the of | הַלַּ֔יְלָה | hallaylâ | ha-LA-la |
| and said, | וַיֹּ֖אמֶר | wayyōʾmer | va-YOH-mer |
| Jacob, | יַֽעֲקֹ֣ב׀ | yaʿăqōb | ya-uh-KOVE |
| Jacob. | יַֽעֲקֹ֑ב | yaʿăqōb | ya-uh-KOVE |
| said, he And | וַיֹּ֖אמֶר | wayyōʾmer | va-YOH-mer |
| Here | הִנֵּֽנִי׃ | hinnēnî | hee-NAY-nee |
Cross Reference
અયૂબ 33:14
દેવ વારંવાર અનેક રીતે બોલતા હોય છે, પણ માણસ સમજતો નથી.
ઊત્પત્તિ 15:1
આ બધી ઘટનાઓ થઈ ગયા પછી એક દર્શનમાં ઇબ્રામને યહોવાની વાણી સંભળાઈ, દેવે કહ્યું, “ઇબ્રામ, ડરીશ નહિ ઇબ્રામ, હું તારી ઢાલ છું. હું તારું રક્ષણ કરીશ અને હું તને એક મોટો પુરસ્કાર આપીશ.”
ગણના 12:6
“જ્યારે તે બંને જણ આગળ ગયાં એટલે દેવે કહ્યું, હું કહું તે ધ્યાનથી સાંભળો. પ્રબોધકોની સાથે હું સ્વપ્નમાં દર્શન આપીને વાત કરું છું.
ઊત્પત્તિ 22:11
ત્યારે યહોવાના દૂતે ઇબ્રાહિમને રોકયો. દેવદૂતે આકાશમાંથી બોલાવ્યો. “ઇબ્રાહિમ, ઇબ્રાહિમ!”ઇબ્રાહિમે ઉત્તર આપ્યો, “જી!”
ઊત્પત્તિ 22:1
આ બધું થઈ ગયા પછી દેવે ઇબ્રાહિમના વિશ્વાસની કસોટી કરવાનું નકકી કર્યુ. દેવે તેને કહ્યું, “ઇબ્રાહિમ!”ત્યારે ઇબ્રાહિમે ઉત્તર આપ્યો, “હું આ રહ્યો.”
પ્રેરિતોનાં ક્રત્યો 16:9
તે રાત્રે પાઉલે એક દર્શન જોયું. આ દર્શનમાં મકદોનિયાનો એક માણસ પાઉલની પાસે આવ્યો. તે માણસે ત્યાં ઊભા રહીને વિનંતી કરી, “મકદોનિયા પાર કરીને આવો, અમને મદદ કરો!”
પ્રેરિતોનાં ક્રત્યો 10:13
પછી વાણીએ પિતરને કહ્યું, “ઊભો થા, પિતર, આમાંના કોઇ એક પ્રાણીને મારીને ખા.”
પ્રેરિતોનાં ક્રત્યો 10:3
એક બપોરે લગભગ ત્રણ કલાકે કર્નેલિયસે એક દર્શન જોયું. તેણે તે સ્પષ્ટ રીતે જોયું. દેવનો એક દૂત દર્શનમાં તેની પાસે આવ્યો અને કહ્યું, “કર્નેલિયસ!”
પ્રેરિતોનાં ક્રત્યો 9:10
ત્યાં દમસ્કમાં ઈસુનો શિષ્ય હતો. તેનું નામ અનાન્યા હતું. પ્રભુ તેને દર્શન દઇને બોલ્યો. પ્રભુએ કહ્યું, “અનાન્યા!”અનાન્યાએ કહ્યું, “હું અહી છું, પ્રભુ.”
પ્રેરિતોનાં ક્રત્યો 9:4
શાઉલ જમીન પર પટકાયો. તેણે તેને કહેવાતી એક વાણી સાંભળી. “શાઉલ, શાઉલ! તું શા માટે મને સતાવે છે?”
દારિયેલ 2:19
ત્યારબાદ રાત્રીના સમયે સંદર્શનમાં દેવે દાનિયેલને રાજાનું સ્વપ્ન તથા તેના રહસ્યનો ભેદ જણાવ્યો અને તેણે સ્વર્ગાધિપતિ દેવની આ પ્રમાણે પ્રશંશા કરી.
અયૂબ 4:13
જ્યારે માણસને રાત્રે નિદ્રા ઘેરી વળે છે ત્યારે રાતનાં સંદર્શનો પરથી આવતા વિચારોમાં-
2 કાળવ્રત્તાંત 26:5
ઝખાર્યાની હયાતીમાં ઉઝિઝયા દેવને પ્રસન્ન કરવા હંમેશા આતુર હતો. ઝખાર્યાએ લોકોને દેવની સેવા કરવાનો સાચો રસ્તો બતાવ્યો હતો. જ્યારે રાજા દેવના માગેર્ ચાલ્યો; ત્યારે દેવે તેને સફળતા આપી.
1 શમુએલ 3:10
પછી યહોવાએ ત્યાં આવીને ઊભા રહીને પહેલાંની જેમ બૂમ માંરી, “શમુએલ! શમુએલ!”શમુએલે ઉત્તર આપ્યો, “હા આપનો સેવક સાંભળું છું.”
1 શમુએલ 3:4
તે સમયે યહોવાએ તેને હાંક માંરી, “શમુએલ!” શમુએલે કહ્યું “હું અહિંયાં છું!”
ગણના 24:4
દેવના શબ્દો સાંભળનારની વાણી છે. સમાંધિમગ્ન છતાં ખુલ્લાં અંતઃચક્ષુથી સર્વસમર્થ દેવે બતાવેલાં દિવ્યદર્શનો જોનારની વાણી છે.
નિર્ગમન 3:3
તેથી મૂસાને વિચાર આવ્યો, “હું નજીક જઈને આ ચમત્કાર જોઉં. આ ઝાડી શા માંટે બળી જતી નથી?”
ઊત્પત્તિ 31:11
પછી દેવના દૂતે મને સ્વપ્નમાં કહ્યું, ‘યાકૂબ!’“એટલે મેં કહ્યું, ‘જી!’
ઊત્પત્તિ 15:13
ત્યારે યહોવાએ ઇબ્રામને કહ્યું, “તારે એ બાબતો જાણી લેવી જોઈએ. તારા વંશજો વિદેશી બની જશે અને તેઓ એવા દેશમાં જશે જે એમનો નહિ હોય. તેઓ ત્યંા ગુલામ બનશે. 400વર્ષ સુધી તેમના પર ભારે અત્યાચારો થશે.