Ezekiel 8:18
તેથી હું તેઓ પર મારો રોષ જરૂર ઉતારીશ. હું તેમના ઉપર દયા કરીશ નહિ કે હું તેમના પર સહાનુભૂતિ બતાવીશ નહિ, તેઓ દયા માટે મોટા સાદે પોકાર કરશે છતાં હું તેમને સાંભળીશ નહિ.”
Ezekiel 8:18 in Other Translations
King James Version (KJV)
Therefore will I also deal in fury: mine eye shall not spare, neither will I have pity: and though they cry in mine ears with a loud voice, yet will I not hear them.
American Standard Version (ASV)
Therefore will I also deal in wrath; mine eye shall not spare, neither will I have pity; and though they cry in mine ears with a loud voice, yet will I not hear them.
Bible in Basic English (BBE)
For this reason I will let loose my wrath: my eye will not have mercy, and I will have no pity.
Darby English Bible (DBY)
And I also will deal in fury: mine eye shall not spare, neither will I have pity; and though they cry in mine ears with a loud voice, I will not hear them.
World English Bible (WEB)
Therefore will I also deal in wrath; my eye shall not spare, neither will I have pity; and though they cry in my ears with a loud voice, yet will I not hear them.
Young's Literal Translation (YLT)
And I also deal in fury, Mine eye doth not pity, nor do I spare, and they have cried in Mine ears -- a loud voice -- and I do not hear them.'
| Therefore will I | וְגַם | wĕgam | veh-ɡAHM |
| also | אֲנִי֙ | ʾăniy | uh-NEE |
| deal | אֶעֱשֶׂ֣ה | ʾeʿĕśe | eh-ay-SEH |
| fury: in | בְחֵמָ֔ה | bĕḥēmâ | veh-hay-MA |
| mine eye | לֹֽא | lōʾ | loh |
| not shall | תָח֥וֹס | tāḥôs | ta-HOSE |
| spare, | עֵינִ֖י | ʿênî | ay-NEE |
| neither | וְלֹ֣א | wĕlōʾ | veh-LOH |
| will I have pity: | אֶחְמֹ֑ל | ʾeḥmōl | ek-MOLE |
| cry they though and | וְקָרְא֤וּ | wĕqorʾû | veh-kore-OO |
| in mine ears | בְאָזְנַי֙ | bĕʾoznay | veh-oze-NA |
| loud a with | ק֣וֹל | qôl | kole |
| voice, | גָּד֔וֹל | gādôl | ɡa-DOLE |
| yet will I not | וְלֹ֥א | wĕlōʾ | veh-LOH |
| hear | אֶשְׁמַ֖ע | ʾešmaʿ | esh-MA |
| them. | אוֹתָֽם׃ | ʾôtām | oh-TAHM |
Cross Reference
મીખાહ 3:4
અને પછી સંકટના સમયે મદદ માટે તમે યહોવાને વિનંતી કરો છો! પરંતુ તે તમને જવાબ નહિ આપે. તમે અનિષ્ટ કામો કર્યા છે, તેથી તે તમારાથી મોઢું ફેરવી લેશે.’
યશાયા 1:15
“પણ જો તમે મારી સામે તમારો હાથ ઉગામશો, ત્યારે હું મારી આંખો ફેરવી લઇશ. હવે વધારે હું તમારી પ્રાર્થનાઓને નહિ સાંભળું, કેમકે તમારો હાથ લોહીથી ખરડાયેલો છે.
ઝખાર્યા 7:13
સૈન્યોનો દેવ યહોવા કહે છે; “મેં તેઓને જ્યારે બોલાવ્યા, ત્યારે તેમણે નહોતું સાંભળ્યું; તેમ તેઓએ જ્યારે મને બોલાવ્યો ત્યારે મેં પણ ન સાંભળ્યું.
ચર્મિયા 11:11
તેથી યહોવા કહે છે, “હું તેઓ પર વિપત્તિઓ લાવનાર છું અને તેમાંથી તેઓ બચી શકશે નહિ, તેઓ દયાની યાચના કરશે ત્યારે હું તેઓની વિનંતીઓ સાંભળીશ નહિ.
હઝકિયેલ 9:10
તેથી હું તેઓ પર સહાનુભૂતિ બતાવીશ નહિ કે દયા કરીશ નહિ. તેમણે જે કાંઇ કર્યું છે તેમના માટે હું તેઓને સજા કરીશ.”
હઝકિયેલ 7:4
હું તારા પર કોઇ દયા બતાવીશ નહિ કે અનુકંપા રાખીશ નહિ. તારા દુષ્કમોર્ની હું તને સજા કરનાર છું. હું તારા બધાં ધૃણાજનક કૃત્યો માટે હું તારો ન્યાય કરીશ, જેથી તને ખબર પડે કે હું યહોવા છું.”
નીતિવચનો 1:28
“ત્યારે તેઓ મને બોલાવશે તો પણ હું ઉત્તર આપીશ નહિ, તમે મને ખંતથી શોધશો પણ હું તમને મળીશ નહિ.
ન્યાયાધીશો 10:13
પણ તમે મને છોડી દીધો અને બીજા દેવદેવીઓની પૂજા કરવા લાગ્યા એટલે હવે હું તમને ઉગારી લેનાર નથી.
લૂક 13:25
જો માણસો તેના મકાનના બારણાને તાળું મારે તો પછી તમે બહાર ઊભા રહી શકો અને બારણાંને ટકોરા મારો, છતાં તે ઉઘાડશે નહિ. તમે કહેશો કે, ‘પ્રભુ, અમારે માટે બારણું ઉઘાડો! પણ તે માણસ ઉત્તર આપશે, ‘હું તમને ઓળખતો નથી! તમે ક્યાંથી આવ્યા છો?’
નાહૂમ 1:2
યહોવા ઇર્ષાળું દેવ છે. તેઓ ક્રોધે ભરાઇને બદલો લેનાર દેવ છે. તે પોતાના શત્રુઓ પર વૈર વાળે છે. તે પોતાના શત્રુઓ પર કોપાયમાન રહે છે.
હઝકિયેલ 24:13
હે યરૂશાલેમ, તારા વ્યભિચારની અશુદ્ધિ દૂર કરવા મેં પ્રયત્ન કર્યો હતો પણ તું ચોખ્ખી ન થઇ. એટલે તારા પર હું મારો પૂરો રોષ ઉતારી નહિ રહું ત્યાં સુધી તું ફરી ચોખ્ખી થનાર નથી.
હઝકિયેલ 16:42
ત્યારે મારો રોષ શમી જશે અને તારા ઉપરથી દાઝ ઊતરશે. પછી હું શાંત પડીશ અને તારા પર રોષે ભરાઇશ નહિ.
હઝકિયેલ 9:5
ત્યાર બાદ મેં યહોવાને બીજા માણસોને એમ કહેતાં સાંભળ્યાં કે, “નગરમાં તમે એની પાછળ પાછળ જાઓ અને હત્યા કરવાનું શરૂ કરો, કોઇ પણ પ્રકારની કરૂણા કરશો નહિ, ને તેમના માટે દયા રાખશો નહિ.
હઝકિયેલ 5:11
યહોવા મારા માલિક કહે છે કે, “હું મારા સમ ખાઇને કહું છું કે, તે તારી તિરસ્કૃત વસ્તુઓથી (મૂર્તિઓથી) અને ધૃણાજનક વર્તનથી મારા પવિત્રસ્થાનને અશુદ્ધ કર્યું છે તેથી હું પણ તમને વેતરી નાખીશ. હું તમારા પર કરૂણા નહિ રાખું કે દયા બતાવીશ નહિ.
ચર્મિયા 14:12
એ લોકો ઉપવાસ કરશે તોયે, હું એમની પ્રાર્થના સાંભળનાર નથી. તેઓ મને દહનાર્પણ અને ખાદ્યાર્પણ ચઢાવે તોયે, હું પ્રસન્ન થનાર નથી. હું તેમનો યુદ્ધ દુકાળ, અને રોગચાળાથી અંત લાવીશ.”
યશાયા 59:2
પણ તમારા પાપોએ તમારી અને દેવની વચ્ચે આડ ઊભી કરી છે; તમારાં પાપને કારણે તે તેમને દર્શન આપતો નથી કે નથી સાંભળતો.