નીતિવચનો 2:8 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ નીતિવચનો નીતિવચનો 2 નીતિવચનો 2:8

Proverbs 2:8
તે ન્યાયના માર્ગની રક્ષા કરે છે અને પોતાના વફાદાર લોકોની કાળજી લે છે.

Proverbs 2:7Proverbs 2Proverbs 2:9

Proverbs 2:8 in Other Translations

King James Version (KJV)
He keepeth the paths of judgment, and preserveth the way of his saints.

American Standard Version (ASV)
That he may guard the paths of justice, And preserve the way of his saints.

Bible in Basic English (BBE)
He keeps watch on the ways which are right, and takes care of those who have the fear of him.

Darby English Bible (DBY)
guarding the paths of just judgment and keeping the way of his godly ones.

World English Bible (WEB)
That he may guard the paths of justice, And preserve the way of his saints.

Young's Literal Translation (YLT)
To keep the paths of judgment, And the way of His saints He preserveth.

He
keepeth
לִ֭נְצֹרlinṣōrLEEN-tsore
the
paths
אָרְח֣וֹתʾorḥôtore-HOTE
of
judgment,
מִשְׁפָּ֑טmišpāṭmeesh-PAHT
preserveth
and
וְדֶ֖רֶךְwĕderekveh-DEH-rek
the
way
חֲסִידָ֣וḥăsîdāwhuh-see-DAHV
of
his
saints.
יִשְׁמֹֽר׃yišmōryeesh-MORE

Cross Reference

1 શમુએલ 2:9
યહોવા પોતાના ભકતોની સંભાળ રાખે છે, પણ દુષ્ટો ને અંધકારમાં રખાય છે અને તેઓ નાશ પામશે. તેમની શકિત તેમને વિજય મેળવવામાં મદદ નહિ કરે.

ગીતશાસ્ત્ર 66:9
તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે, અને આપણા પગને લપસી જવા દેતાં નથી.

યહૂદાનો પત્ર 1:24
તમને ઠોકર ખાતાં બચાવીને ભરપૂર આનંદથી ગૌરવ સહિત પોતાના મહિમાવંત સાન્નિધ્યમાં નિર્દોષ રજુ કરવા તે (દેવ) સમર્થ છે.

1 પિતરનો પત્ર 1:5
તમારા વિશ્વાસ થકી દેવનું સાર્મથ્ય તમારું રક્ષણ કરે છે, અને તમારું તારણ થાય ત્યાં સુધી તે તમને સલામત રાખે છે.

ગીતશાસ્ત્ર 145:20
તેમના પર પ્રેમ રાખનારા સર્વ કોઇનું તે રક્ષણ કરે છે; પણ દુષ્ટોનો નાશ કરે છે.

યોહાન 10:28
હું મારાં ઘેટાંઓને અનંતજીવન આપું છું. તેઓ કદાપિ મૃત્યુ પામશે નહિ. અને કોઈ પણ વ્યક્તિ તેઓને મારાં હાથમાંથી છીનવી શકશે નહિ.

ચર્મિયા 32:40
હું તેઓની સાથે એક કાયમી કરાર કરીશ, હું સદાય તેમની ભલાઇ કરતા અટકીશ નહિ, અને તેમના હૃદયમાં મારે વિષે એવું દૈવત્વ ઉત્પન કરીશ કે, તેઓ કદી મારાથી વિમુખ ન થઇ જાય.

યશાયા 49:9
હું બંદીવાનોને કહીશ, ‘જાઓ તમે મુકત છો!’ અને જેઓ અંધકારમાં છે તેઓને કહીશ, ‘બહાર પ્રકાશમાં આવો!’ તેઓ પર્વત પર ચરનારા ઘેટાં જેવા થશે.

યશાયા 35:9
ત્યાં કોઇ સિંહ નહિ હોય કે કોઇ જંગલી પ્રાણી ત્યાં ભટકતું નહી હોય. માત્ર ઉદ્ધાર પામેલાઓ જ તેના પર ચાલશે.

નીતિવચનો 8:20
હું સદાચારને માગેર્ ચાલું છું, મારો રસ્તો ન્યાયનો છે.

નીતિવચનો 3:21
મારા દીકરા, તેઓને તારી નજર આગળથી દૂર થવા દઇશ નહિ, વ્યવહારૂ ક્ષમતા, વિવેકબુદ્ધિ, અને સાર્મથ્યને પકડી રાખજે.

ગીતશાસ્ત્ર 121:5
યહોવા જમણે હાથે તમારી ઉપર પોતાની છાયા પાડશે; યહોવા તમારા રક્ષક છે.

ગીતશાસ્ત્ર 37:31
તેમનાં પોતાના હૃદયમાં યહોવાનું નિયંત્રણ છે, અને તેમાંથી તે કદાપિ ચલિત થતાં નથી.

ગીતશાસ્ત્ર 37:28
કારણ, યહોવા ન્યાય અને પ્રામાણિકતાને ઇચ્છે છે તે તેમના વિશ્વાસુ ભકતોને કદી છોડી દેતાં નથી; તે તેમનું સદા રક્ષણ કરશે અને દુષ્ટોનાં સંતાનોનો વિનાશ કરશે.

ગીતશાસ્ત્ર 37:23
યહોવા ન્યાયીને માર્ગ બતાવે છે, અને તેના પગલાં સ્થિર કરે છે. યહોવા પ્રસન્ન થાય છે તેથી તેનું જીવન સ્થિર કરે છે.

ગીતશાસ્ત્ર 23:3
તે મને નવું સાર્મથ્ય ને તાજગી આપે છે. તેમનાં નામનો મહિમા વધે તે માટે તે મને ન્યાયીપણાને માગેર્ ચલાવે છે.

ગીતશાસ્ત્ર 1:6
યહોવા ન્યાયીઓની સંભાળ રાખે છે; પરંતુ તે દુષ્ટ લોકોનો વિનાશ કરે છે.

પુનર્નિયમ 33:26
હે ઇસ્રાએલ, તમાંરા દેવ જેવો બીજો કોઈ દેવ નથી, તે આકાશમાંથી વાદળ પર સવાર થઇને તેના ગૌરવમાં તમને મદદ કરવા આવે છે.

પુનર્નિયમ 33:3
હા, યહોવા પોતાનાના લોકોને ચાહે છે, તેના બધા પવિત્ર લોકો તેના હાથમાં છે. તેઓ તેના પગ આગળ બેસે છે, અને તેનો ઉપદેશ ગ્રહણ કરે છે.