2 કરિંથીઓને 4:16 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ 2 કરિંથીઓને 2 કરિંથીઓને 4 2 કરિંથીઓને 4:16

2 Corinthians 4:16
તેથી અમે ક્યારેય પણ નિર્બળ થતા નથી. અમારો ભૌતિક દેહ વધારે વૃદ્ધ અને દુર્બળ થાય છે. પરંતુ અમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું જાય છે.

2 Corinthians 4:152 Corinthians 42 Corinthians 4:17

2 Corinthians 4:16 in Other Translations

King James Version (KJV)
For which cause we faint not; but though our outward man perish, yet the inward man is renewed day by day.

American Standard Version (ASV)
Wherefore we faint not; but though our outward man is decaying, yet our inward man is renewed day by day.

Bible in Basic English (BBE)
For which cause we do not give way to weariness; but though our outer man is getting feebler, our inner man is made new day by day.

Darby English Bible (DBY)
Wherefore we faint not; but if indeed our outward man is consumed, yet the inward is renewed day by day.

World English Bible (WEB)
Therefore we don't faint, but though our outward man is decaying, yet our inward man is renewed day by day.

Young's Literal Translation (YLT)
wherefore, we faint not, but if also our outward man doth decay, yet the inward is renewed day by day;

For
which
cause
Διὸdiothee-OH
we
faint
οὐκoukook
not;
ἐκκακοῦμεν,ekkakoumenake-ka-KOO-mane
but
ἀλλ'allal
though
εἰeiee

καὶkaikay
our
hooh

ἔξωexōAYKS-oh
outward
ἡμῶνhēmōnay-MONE
man
ἄνθρωποςanthrōposAN-throh-pose
perish,
διαφθείρεταιdiaphtheiretaithee-ah-FTHEE-ray-tay
yet
ἀλλ'allal
the
hooh
inward
ἔσωθενesōthenA-soh-thane
renewed
is
man
ἀνακαινοῦταιanakainoutaiah-na-kay-NOO-tay
day
ἡμέρᾳhēmeraay-MAY-ra
by
καὶkaikay
day.
ἡμέρᾳhēmeraay-MAY-ra

Cross Reference

યશાયા 40:31
પરંતુ યહોવા પર વિશ્વાસ રાખનારાઓને નવું બળ મળી રહે છે. તેઓ ગરૂડના જેવી પાંખો ઉપર ઊડે છે; તેઓ દોડે છે પણ થાકતા નથી, તેઓ આગળ ને આગળ ધપતા રહે છે, કદી હારતા નથી કે નથી નિર્ગત થતા.

કલોસ્સીઓને પત્ર 3:10
તમે નવું જીવન શરૂ કર્યુ છે. તમારા નવા જીવનમાં તમે નવા બનાવાયા છો. જેણે તમારું સર્જન કર્યુ છે તેના જેવા તમે બની રહ્યાં છો. આ નવું જીવન તમને દેવનું સત્ય જ્ઞાન આપે છે.

2 કરિંથીઓને 4:1
દેવે આપણને તેની દયાથી અમને આ કામ સોંપ્યું છે. તેથી અમે તેને છોડી દેતા નથી.

રોમનોને પત્ર 12:2
આ દુનિયાના લોકો જેવા થવા માટે તમે તમારા જીવનનું પરિવર્તન કરશો નહિ. પરંતુ નવી વિચાર-શૈલી અપનાવીને તમે તમારા જીવનમાં પૂર્ણ રીતે આંતરિક પરિવર્તન પામો, તો જ દેવ તમારા માટે શું ઈચ્છે છે તે તમે નક્કી કરી શકશો અને તે સ્વીકારી શકશો. તમે જાણી શકશો કે કઈ વસ્તુઓ સારી છે અને દેવને પ્રિય છે, અને કઈ વસ્તુઓ સંપૂર્ણ છે.

રોમનોને પત્ર 7:22
દેવના નિયમમાં હું અંતરના ઊડાણમાં ખૂબ સુખી છું.

યશાયા 40:29
તે થાકેલા તથા નિર્ગત થયેલાંને પુષ્કળ જોર અને નિર્બળને બળ આપે છે.

1 પિતરનો પત્ર 3:4
ના! તમારી સુંદરતા તો એવી હોવી જોઈએ જે તમારા અંત:કરણમાંથી આવતી હોય. નમ્ર અને શાંત આત્માની આ સુંદરતા કદી અદશ્ય નહિ થાય. તે દેવ માટે ઘણીજ મૂલ્યવાન છે.

એફેસીઓને પત્ર 4:23
અને તમારી મનોવૃત્તિઓમાં નવા થાઓ.

એફેસીઓને પત્ર 3:16
તેની મહિમાની સંપતિ પ્રમાણે પિતાને હું પ્રાર્થના કરું છું કે તે તમને તેના આત્મા દ્વારા આંતરિક મનુષ્યત્વમાં બળવાન બનવાની શક્તિ આપે. તેના આત્મા દ્વારા તે તમને સાર્મથ્ય આપશે.

2 કરિંથીઓને 12:15
મારી પાસે જે કાંઈ છે તે તમને આપતા મને આનંદ થાય છે. હું મારી જાત સુદ્ધા તમને આપીશ. જો હું તમને વધારે પ્રેમ કરું તો શું તમે મને ઓછો પ્રેમ કરશો?

ગીતશાસ્ત્ર 51:10
હે દેવ, મારામાં નવું શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો, અને મારા આત્માને મજબૂત કરો!

અયૂબ 19:26
મારી ચામડી ઉતરડાઇ જશે અને મારો દેહ પડી જશે પછી પણ હું મારા દેવને મળીશ.

ગીતશાસ્ત્ર 27:13
હું આશા રાખું છું કે યહોવા ખરેખર મને ફરીથી છોડાવશે, અને હું આ જીવનમાં તેમની દયાનો અનુભવ કરીશ.

ગીતશાસ્ત્ર 73:26
મારી તંદુરસ્તી ભલે મને છોડી જાય, મારું હૃદય ભલે તૂટી જાય, પણ મારી પાસે ખડક છે જેને હું ચાહું છું મારી પાસે દેવ સદાકાળ માટે છે.

ગીતશાસ્ત્ર 119:81
મારો જીવ તમારા તારણ માટે વ્યથિત છે. પણ હું તમારા વચનની આશા રાખું છું.

યશાયા 57:1
સારા માણસો મરી જાય છે, પણ કોઇ વિચાર કરતું નથી; ધમિર્ષ્ઠ માણસો પોતાના સમય અગાઉ મૃત્યુ પામે છે. શા માટે આવું બને છે તે કોઇ સમજતું નથી. ભૂંડા દિવસો અને આફતમાંથી ઉગારવા માટે દેવ તેઓને ઉપાડી લે છે તે તેઓ સમજતા નથી.

માથ્થી 5:29
જો તમારી જમણી આંખ તમને પાપ કરવા પ્રેરે તો તેને કાઢીને ફેંકી દો. તમારું આખું શરીર નરકમાં ધકેલાય તેના કરતાં તમારા શરીરનો એક ભાગ ગુમાવવો તે વધુ હિતાવહ છે.

1 કરિંથીઓને 15:58
મારા પ્રિય ભાઈઓ અને બહેનો, દઢ બનો. કોઈ પણ વસ્તુથી તમારી જાતને બદલવા ન દો. હંમેશા પ્રભુના કામમાં સમર્પિત બનો. તમે જાણો છો કે પ્રભુ પ્રત્યેનું તમારું કાર્ય કદી પણ નિરર્થક જતું નથી.

તિતસનં પત્ર 3:5
તેની સાથે ન્યાયી થવા માટે આપણે કરેલા કૃત્યોને કારણે તેણે આપણને તાર્યા નથી. પરંતુ તેની દયાથી તેણે આપણને પુનર્જન્મના સ્નાનથી તેના પવિત્ર આત્મા દ્વારા આપણું નવીનીકરણ કરીને દેવે આપણને તાર્યા છે.

લૂક 11:3
દરેક દિવસે અમને જરુંરી ખોરાક આપ.