1 શમુએલ 8:9
તો પછી એ લોકો કહે તેમ કર, પણ એમને સ્પષ્ટ ચેતવણી આપજે અને સમજ પાડજે કે, એમના ઉપર રાજ્ય કરનાર રાજાનો વ્યવહાર કેવો હશે.”
Now | וְעַתָּ֖ה | wĕʿattâ | veh-ah-TA |
therefore hearken | שְׁמַ֣ע | šĕmaʿ | sheh-MA |
unto their voice: | בְּקוֹלָ֑ם | bĕqôlām | beh-koh-LAHM |
howbeit | אַ֗ךְ | ʾak | ak |
yet | כִּֽי | kî | kee |
protest | הָעֵ֤ד | hāʿēd | ha-ADE |
solemnly | תָּעִיד֙ | tāʿîd | ta-EED |
shew and them, unto | בָּהֶ֔ם | bāhem | ba-HEM |
them the manner | וְהִגַּדְתָּ֣ | wĕhiggadtā | veh-hee-ɡahd-TA |
king the of | לָהֶ֔ם | lāhem | la-HEM |
that | מִשְׁפַּ֣ט | mišpaṭ | meesh-PAHT |
shall reign | הַמֶּ֔לֶךְ | hammelek | ha-MEH-lek |
over | אֲשֶׁ֥ר | ʾăšer | uh-SHER |
them. | יִמְלֹ֖ךְ | yimlōk | yeem-LOKE |
עֲלֵיהֶֽם׃ | ʿălêhem | uh-lay-HEM |
Cross Reference
1 શમુએલ 8:11
શમુએલે કહ્યું, “તમાંરા ઉપર રાજય કરનાર રાજા આવો વ્યવહાર રાખશે; તે તમાંરા પુત્રોને લઈને તેમની પાસે બળજબરીથી પોતાની રથસેનામાં અને અશ્વસેનામાં સેવા લેશે. અને તેમને પોતાના રથની આગળ આગળ રક્ષક તરીકે દોડાવશે.
1 શમુએલ 10:25
પછી શમુએલે લોકોને રાજાના કાયદાઓ વિષે કહ્યું અને તેને પુસ્તકમાં લખીને યહોવાની સમક્ષ મૂક્યું. પછી તેને લોકોને ઘેર મોકલી દીધા.
હઝકિયેલ 3:18
હું કોઇ દુષ્ટ માણસને મોતની સજા કરું અને તું જો તેને ચેતવે નહિ કે, ‘તું તારો દુષ્ટ વ્યવહાર છોડી દે નહિ તો મરી જઇશ;’ તે તો તેના પાપે મરશે પણ તેના મૃત્યુ માટે હું તને જવાબદાર લેખીશ.
1 શમુએલ 2:13
યાજકોએ લોકો સાથે કેવી રીતે વર્તવું તેની તેઓને ચિંતા ન હતી. યાજકોએ લોકો માંટે આ કરવું જોઇએ કે જ્યારે કોઇ વ્યકિત યજ્ઞાર્પણ લાવે, યાજકોએ માંસને ઉકળતા પાણીના વાસણમાં નાખવું. પછી યાજકનાં સેવકે ત્રણ અણીવાળો ખાસ કાંટો લાવવો.
1 શમુએલ 14:52
શાઉલને જીવનપર્યંત ઇસ્રાએલીઓ માંટે પલિસ્તીઓની સાથે ખૂનખાર યુદ્ધો લડવાં પડયાં. તેથી શાઉલ કોઈ પરાક્રમી વ્યકિતને કે કોઈ શૂરવીર માંણસને જોતો, તો તેને પોતાના લશ્કરમાં ભરતી કરી દેતો.
હઝકિયેલ 45:7
રાજકુમાર માટે પણ જમીન અલગ રાખવામાં આવશે. રાજકુમારની મિલકત પવિત્ર વિસ્તારની બન્ને બાજુએ હશે. અને નગરની મિલકત પૂર્વતરફ અને પશ્ચિમ તરફ હશે. દરેક બાજુની લંબાઇ બીજાં કુળોને આપવામાં આવેલી જમીન જેટલી જ હશે.
હઝકિયેલ 46:18
રાજકુમારે લોકોની કોઇ મિલકત લઇ લેવી નહિ, તેણે પોતાને મળેલી જમીનમાંથી પોતાના પુત્રોને જમીન આપવી જેથી મારા લોકોમાંથી કોઇને પોતાની મિલકત ખોવાનો વખત આવે નહિ.”